જ્ઞાનની પ્રક્રિયાના ઘટકો
(Components of Knowledge Process)
ભારતીય તત્ત્વજ્ઞાન અનુસાર મનુષ્યની મૂળ પ્રકૃતિ આધ્યાત્મિક છે. પ્રાયઃ મનુષ્ય પોતાની આ આધ્યાત્મિક પ્રકૃતિ વિશે જાગૃત હોતો નથી. મનુષ્યના ઊંડા આધ્યાત્મિક સ્તરે પરમ સત્યની જીજ્ઞાસા છે, જેનાથી પ્રેરિત થઈને માનવ વૈજ્ઞાનિક શોધો કરે છે. સત્યની અવિરત શોધમાં લાગેલો મનુષ્ય જ્ઞાન સ્વરૂપે પોતાની પૂર્ણતાનાં દર્શન કરવા ઇચ્છે છે. સમસ્ત જ્ઞાન મનુષ્યના અંતરમાં સ્થિત છે. ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન આત્માનો પ્રકાશ છે. મનુષ્યને શાન બહારથી પ્રાપ્ત થતું નથી પરંતુ આત્માના અનાવરણથી જ જ્ઞાનનું પ્રગટીકરણ થાય છે.
જ્ઞાનની પ્રક્રિયાના ઘટકો
👉 પ્રત્યક્ષ જ્ઞાન :
જ્ઞાનેન્દ્રિયોના વિષય સંનિકર્ષ (સંબંધ)ના આધારે ઉત્પન્ન થયેલ અંતઃકરણની વૃત્તિ સ્વરૂપ અધ્યવસાયોને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. ઇન્દ્રિયો દ્વારા બાહ્ય વિષયોથી ચિત્ત (અંતઃકરણ) સંબંધિત થઈને વિષયાકાર થઈ જાય છે. આત્માનો પ્રકાશ ચિત્ત પર પડે છે. ચેતનથી પ્રકાશિત ચિત્ત પોતાની વૃત્તિઓ દ્વારા વિષયને પ્રકાશિત કરે છે. એ રીતે વિષયનું પ્રકાશિત થવું એ જ એ વિષયનું જ્ઞાન કહેવાય છે. જ્ઞાનપ્રાપ્તિ બે પ્રકારના પ્રત્યક્ષીકરણ દ્વારા થાય છે : (1) લૌકિક પ્રત્યક્ષીકરણ અને (2) અલૌકિક પ્રત્યક્ષીકરણ
➡️ લૌકિક પ્રત્યક્ષ આંખનું, કાનનું, સ્પર્શનું, સ્વાદનું અને ગંધનું હોય છે. એટલે કે, પાંચ જ્ઞાનેન્દ્રિયોથી થતું બાહ્ય પ્રત્યક્ષ હોય છે અને આંતર પ્રત્યક્ષ કે માનસ પ્રત્યક્ષ મનનું હોય છે.
➡️ અલૌકિક પ્રત્યક્ષ ત્રણ રીતે કરવામાં આવે છે : (1) સામાન્ય લક્ષણ પ્રત્યક્ષ (2) જ્ઞાન લક્ષણ પ્રત્યક્ષ (3) યોગનું પ્રત્યક્ષ
👉 સ્મૃતિઃ
પૂર્વાનુભવના સંસ્કાર વડે જે જ્ઞાન પ્રાપ્ત થાય તેને સ્મૃતિ કહે છે. આ સ્મૃતિ જોયેલા, સાંભળેલા તેમ જ અનુભવેલા વિષયને લગતી હોય છે. પ્રત્યભિજ્ઞા (Recognition) પણ પૂર્વ સંસ્કારને લઈને જ શક્ય બને છે. સ્મૃતિ એ પ્રત્યભિજ્ઞા કરતાં ભિન્ન છે. કારણ કે સ્મૃતિમાં પૂર્વસંસ્કાર છે, પણ પ્રત્યક્ષનો સંબંધ હોતો નથી. સ્મૃતિને યથાર્થ જ્ઞાન કહી શકાય નહિ, કારણ કે સ્મૃતિ કોઈ બની ગયેલા બનાવ કે ઘટનાના અનુભવ પર આધારિત હોય છે. તે અનુભવ યથાર્થ હોય તો સ્મૃતિ સાચી અને અનુભવ અયથાર્થ હોય તો સ્મૃતિ ખોટી. કેટલાક મીમાંસકો સ્મૃતિને એટલા માટે યથાર્થ જ્ઞાન (પ્રમા) માનતા નથી કે તે વડે કોઈ નવીન જ્ઞાન મળતું નથી.
👉 સંશય :
જ્ઞાનપ્રાપ્તિનું એક ઘટક સંશય છે. જે પ્રકારના જ્ઞાનમાં એક જ વસ્તુમાં વિવિધ ધર્મોની હાજરી જણાય ત્યારે આપણને સંશય ઉત્પન્ન થાય છે, તે આગળ જતાં જ્ઞાનપ્રાપ્તિનો ઘટક બને છે. સંશયનું સ્થાન જ્ઞાન તેમ જ મિથ્યા જ્ઞાનની વચ્ચેનું છે.
👉 તર્ક :
તર્કને પણ જ્ઞાનપ્રાપ્તિનો ઘટક માનવામાં આવે છે. વ્યાપ્ય (ધૂમાડો) દ્વારા વ્યાપક (અગ્નિ)ની સિદ્ધિ તેનું નામ તર્ક. તર્ક દ્વારા આપણે પ્રથમ કરેલ અનુમાનના નિગમનને સિદ્ધ કરીએ છીએ.
👉 અનુમાન :
તર્ક આધારિત જ્ઞાનપ્રાપ્તિને અનુમાન જ્ઞાન કહે છે. અનુમાનનો શાબ્દિક અર્થ છે પાછળથી થનારું જ્ઞાન, અર્થાત્ એક વખત જાણ્યા પછી બીજી વખતનું જ્ઞાન અનુમાન જ્ઞાન કહેવાય. અનુમાન જ્ઞાન મુખ્યત્વે બૌદ્ધિક તર્ક ઉપર આધારિત હોય છે.
👉 શબ્દજ્ઞાન :
જે વિષયોનું જ્ઞાન પ્રત્યક્ષ તથા અનુમાન દ્વારા પ્રાપ્ત થઈ શકતું નથી, તેમના યથાર્થ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે આપણને શબ્દ પ્રમાણની મદદ લેવી પડે છે. કોઈ એવી વ્યક્તિ હોય જેણે એ વિષયનું પ્રત્યક્ષ અથવા અનુમાનથી જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય તેના દ્વારા ઉપદેશરૂપે સાંભળીને અથવા લિપિબદ્ધ હોય.એ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. કોઈપણ વિષય સાંભળવા અથવા વાંચવા માત્રથી જ આપણા જ્ઞાનનું અંગ બનતો નથી, એ જ વિષય આપણા જ્ઞાનનું અંગ બને છે, જેના અર્થનો બોધ આપણને થાય છે.
👉 અંતર્ગાન :
અંતíન મન અને યર્થાથ વસ્તુ વચ્ચેના ઘનિષ્ઠ ઐક્યથી ઉત્પન્ન થાય છે. એ વસ્તુઓ સાથેના તાદાભ્ય દ્વારા સત્યનું જ્ઞાન છે. તે મનની એક સ્થિતિ છે. જ્ઞાન વાસ્તવમાં જ્ઞાતા અને શેય વચ્ચે સઘન અને સન્નિકટ ઐક્ય છે. વિચાર એને આંશિક રીતે પ્રગટ અને પ્રસ્તુત કરવાનું સાધન છે. શેય વસ્તુ સાથેના તાદાભ્યથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે જ એકમાત્ર સીધું અને સાચું જ્ઞાન હોય છે, બાકીનું બધું જ્ઞાન આનુમાનિક હોય છે. તરીકે માન્યતાને
👉 માન્યતા (Belief) :
જ્ઞાનની પ્રક્રિયાના ઘટક પણ લેવામાં આવે છે.