Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

આયોજનનો તબક્કો (Planning)

 આયોજનનો તબક્કો (Planning)

આયોજનનો તબક્કો

     આ તબક્કાને પૂર્વક્રિયાત્મક તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તબક્કાને શિક્ષણના આયોજન સંબંધિત તબક્કો પણ કહેવામાં આવે છે. અહીં વર્ગખંડમાં અધ્યાપન પૂર્વે અધ્યાપનને સફળ બનાવવા સંબંધિત યોજના વિશે વિચાર કરવામાં આવે છે. શું ભણાવવું છે? કેવી રીતે ભણાવવું છે? વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રેરિત કરી શકાય? કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે? કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવાનો છે? કઈ શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરવાનો છે? વગેરેની પૂર્વ વિચારણા આ તબક્કામાં કરવામાં આવે છે.



ઉદ્દેશોનું નિર્માણ :

            આ તબક્કામાં શિક્ષક વિદ્યાર્થીઓના વર્તનમાં કયા પરિવર્તનો લાવવાના છે તે માટેના હેતુઓનું નિધારણ કરે છે. આ ઉદેશ અધ્યાપનની ચોક્કસ દિશા પૂરી પાડે છે. ઉદેશોને વ્યાવહારિક સ્વરૂપમાં લખવામાં આવે છે, પછી તેને સિદ્ધ કરવા માટેની પદ્ધતિ અને પ્રયુક્તિઓ પર વિચાર કરે છે.



વિષયવસ્તુનો નિર્ણય કરવો :

           આ તબક્કામાં વિદ્યાર્થીઓની સમક્ષ જે વિષયવસ્તુ રજૂ કરવામાં આવે છે, તેને આયોજિત કરવામાં આવે છે. પરંતુ આ વિષયવસ્તુના આયોજન કરતી વખતે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ :


👉વિદ્યાર્થીઓ માટે પ્રસ્તુત વિષયવસ્તુની જરૂરિયાત


👉વિદ્યાર્થીઓના વ્યવહારો, વિદ્યાર્થીઓ માટે જરૂરી પ્રેરણાનું સ્તર


👉વિષયવસ્તુ અને વિદ્યાર્થીઓને અનુરૂપ જુદી-જુદી પદ્ધતિઓ પ્રયુક્તિઓ


વિષયવસ્તુની ક્રમબદ્ધ રજૂઆત : -  વિષયવસ્તુની પસંદગી પછી તેને મનોવૈજ્ઞાનિક અને તાર્કિક સ્વરૂપે ઉપલબ્ધ કરવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓને સરળતાથી અધ્યયન કરી શકે તેવું વાતાવરણ નિશ્ચિત કરવામાં આવે છે.




શિક્ષણપદ્ધતિ અને પ્રયુક્તિઓની પસંદગી : -  આચરણમાં વિષયવસ્તુની રજૂઆત પછી તેને અનુરૂપ પદ્ધતિ અને પ્રયુક્તિની પસંદગી કરવામાં આવે છે, જેનો ઉપયોગ કરીને વિષયવસ્તુની સરળતાથી અને સુંદર રીતે રજૂઆત કરવાનું આયોજન કરી શકાય .


આ અવસ્થામાં શિક્ષક પાઠ આયોજન બનાવે છે, તે વિષયવસ્તુની પ્રસ્તાવના કેવી રીતે કરશે ? વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રોત્સાહિત કરશે ? સંપૂર્ણ પાઠનું કેવી રીતે આયોજંન કરશે ? પદ્ધતિની પસંદગી કરશે, સહાયક સામગ્રીનો વિચાર કરશે. જો સામગ્રી તૈયાર ન હોય તો તેને તૈયાર કરવા માટેનો નિર્ણય લેશે અને પછી અધ્યયન દરમિયાન તેનો કેવી રીતે ઉપયોગ કરશે, તેનો પણ વિચાર કરશે.


👉       આમ, આયોજનના આ તબક્કા દરમિયાન શિક્ષક વર્ગમાં જતાં પહેલા અધ્યાપનસંબંધી બધી જ બાબતોનો વિચાર કરે છે. શિક્ષક વર્ગમાં જતા પહેલાં જે અધ્યાપનસંબંધી ચિંતન કરે છે, તે બધી વિગતોનો અહીં સમાવેશ થાય છે, જે નીચે પ્રમાણે છે :


અધ્યેતા કોણ છે ? 

તેની અપેક્ષાઓ શું છે ? 

હું શા માટે ભણાવું છું ? 

અધ્યાપન માટેનો પ્રયુક્તિઓ અને કૌશલ્યો કયા છે ?

વર્ગવ્યવહારને સક્રિય બનાવવા કઈ પદ્ધતિ વાપરીશ ?

સમય વ્યવસ્થાપન 

સાધન-સામગ્રી

વર્ગવ્યવહારમાં ભાગીદારી

વિષયવસ્તુની રજૂઆત 

અધ્યાપનમાં નવીનતા


Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏