પાઠ્યપુસ્તક રચનાના સિદ્ધાંતો
Principles of Textbook Design
માતૃભાષા શિક્ષણનું વ્યાવહારિક મહત્ત્વ ઘણું
છે. આ મહત્ત્વપૂર્ણ કરવા, હેતુઓ સિદ્ધ કરવા અભ્યાસક્રમ યોજના
મહત્ત્વની છે. અભ્યાસક્રમ દ્વારા આપણે આપણા શિક્ષણના ધ્યેયને પહોંચી વળીએ છીએ.
અભ્યાસક્રમ પાઠ્યપુસ્તક સ્વરૂપે આકાર લે છે અને પાઠ્યપુસ્તકને શીખવનાર શિક્ષક અને
શિખનારો વિદ્યાર્થી છે. આમ અભ્યાસક્રમ-પાઠ્યપુસ્તકો અને શિક્ષક-વિદ્યાર્થી
અગત્યનાં અંગો ગણી શકાય છે. વિદ્યાર્થીઓમાં ભાષાકીય વર્તનમાં અપેક્ષિત પરિવર્તન
લાવનારી પ્રક્રિયા તે માતૃભાષાનું પાઠ્યપુસ્તક છે. ઉત્તમ ભાષાશિક્ષક
પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરે છે. અને સાથે સાથે મનોવૈજ્ઞાનિક અભિગમ દ્વારા પોતાની
આંતરસૂઝ, લાગણી અને આકર્ષણ પેદા કરી
ભાષાશિક્ષણનું કાર્ય કરે છે.
માતૃભાષાના શિક્ષકે વિદ્યાર્થીઓને ભાષાશિક્ષણ આપવા માટે ગુજરાતી વિષયવસ્તુના શિક્ષણમાં કઈ કઈ વિશેષતાઓ, બાબતો, ગદ્ય, પદ્ય, વ્યાકરણ, અને રચનાના શિક્ષણમાં કયા મહત્ત્વના મુદ્દાઓથી વિદ્યાર્થીઓને પરિચિત કરવા, કયા અધ્યયન-અનુભવો આપવા તેનું આયોજન કરવું એટલે પાઠ્યક્રમની રચના કરવી. પાઠ્યપુસ્તકમાનો પાઠ્યક્રમ એટલે જે તે વિષયનું શિક્ષણ આપવા માટેનું વિષયવસ્તુ, પાઠ્યક્રમ ભાષાશિક્ષણ માટે અતિ મહત્ત્વનું અંગ છે. પાઠ્યક્રમની રચના આયોજનબદ્ધ હોય છે. તેથી પાઠ્યક્રમની રચનાના કેટલાક ખૂબ જ મહત્ત્વના સિદ્ધાંતો છે. પાઠ્યક્રમ એ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક અભિગમ વિકસાવવા માટેનું માહિતીનું, જ્ઞાનનું મહત્ત્વનું સ્ત્રોત છે. તેની રચનાના સિદ્ધાંતો નીચે મુજબ છે.
- પાઠ્યક્રમ ઉત્તમ સિદ્ધાંતો અનુસાર તૈયાર થયેલ હોય.
- વિદ્યાર્થીઓના વર્તનમાં ઈચ્છિત પરિવર્તન લાવે તેવો હોય.
- વિદ્યાર્થીઓના ચારિત્ર્યઘડતરને વિકસાવવાની ક્ષમતા ધરાવતો હોય.
- વિદ્યાર્થીઓ પ્રવૃત્તિઓ કરી શકે અને તેમને પ્રેરણા મળી રહે તેવો હોય.
- વિદ્યાર્થીઓમાં રસ, અભિરુચિ, વલણો વગેરે જન્મે તેવો હોય.
- વિદ્યાર્થીઓની વયકક્ષાને અનુરૂપ પાઠ્યક્રમ હોય.
- પાઠ્યક્રમ વિદ્યાર્થીઓની ઊર્મિઓનું ઘડતર અને સંવર્ધન કરે તેવો હોય.
- પાઠ્યક્રમમાં વિદ્યાર્થીઓ માતૃભાષાના સંસ્કાર વારસો, સંસ્કૃતિનો પરિચય મેળવી શકે તેવો હોય.
- વિદ્યાર્થીઓની વયકક્ષાનુસાર તેમાં ફેરફાર કરી શકાય તેવો હોય.
- વિદ્યાર્થીની સમજશક્તિનો વિકાસ કરે તેવો હોય.
- પાઠ્યક્રમ વિવિધતા ધરાવતો, પરિવર્તનશીલ અને સ્થિતિસ્થાપક હોય.
- પાઠ્યક્રમ માત્ર પરીક્ષાલક્ષી ન હોય પરંતુ વિદ્યાર્થીઓ જૂથચર્ચા, જૂથકાર્ય વગેરેની ટેવો પાડે તેવો હોય.
- પાઠ્યક્રમ ભાષા શિક્ષણના હેતુઓને અનુરૂપ સુસંગત હોય.
- વિદ્યાર્થીઓની તત્કાલિન અને ભવિષ્યની જરૂરિયાતોને પોષક હોય.
- ભાષાશિક્ષણ વિશેના ખ્યાલમાં પ્રવૃત્તિઓ અને અનુભવોનો આધાર મુખ્ય ગણવામાં આવતો હોય ત્યારે પ્રોજેક્ટ પદ્ધતિ, રમત દ્વારા શિક્ષણ અને અભ્યાસપૂરક તથા અભ્યાસેતર પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક અનુભવોને સંગીન બનાવે તેવો હોય.
- ફુરસદના સમયનો સદુપયોગ શિક્ષણના હેતુઓમાં હોય ત્યારે વિદ્યાર્થીઓને તે માટેની યોગ્ય સામગ્રી પાઠ્યક્રમમાંથી મળી રહે તેવો હોય.
- માતૃભાષા પ્રત્યે અનુરાગ જન્મે અને વધે તેવા હેતુઓને પૂર્ણ કરે તેવો હોય.
- વિદ્યાર્થીઓ સરળ અને સ્પષ્ટ રીતે માતૃભાષા સમજી શકે તે વાંચીને ભારતની ભવ્ય સંસ્કૃતિનું દર્શન કરી શકે તેવો હોય.
- પાઠ્યક્રમ વિદ્યાર્થીઓનાં સર્વાંગીણ વિકાસ માટેની જરૂરિયાતોને પોષક હોય.
આમ માતૃભાષાનો પાઠ્યક્રમ ભૌતિક ગુણવત્તા
પ્રમાણે તૈયાર થયેલો ભાષાવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવનારો વિદ્યાર્થીઓમાં વિવિધ
ભાષાકીય કુશળતાઓ વિકાસવનારો, વિદ્યાર્થીકેન્દ્રી, સાંસ્કૃતિક
મૂલ્યલક્ષી તમામ સુવિધાઓ પૂરી પાડનારો, શૈક્ષણિક
અનુભવજન્ય સંદર્ભોથી પરિપૂર્ણ સભર હોવો જોઈએ.