Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

જીવનમાં ભાષાની ભૂમિકા // Role of language in life

જીવનમાં ભાષાની ભૂમિકા

Role of language in life 



ભાષાના માધ્યમથી આપણે વાતચીત કરીએ છીએ, વિચારીએ છીએ, વાર્તાઓ કહીએ છીએ, ભાષણો કરીએ છીએ, વર્ણન કરીએ છીએ, લખાણો લખીએ છીએ.... એટલે કે વિકસીએ છીએ. ભાષા આપણને વિચારો વ્યક્ત કરવા, સમાજિક સંબંધો પ્રસ્થાપિત કરવા અને લાગણીઓને વ્યકત કરવા માટે મજબૂત આધાર પૂરો પાડે છે. બાળક માટે અંગ્રેજીમાં વપરાતો એક ગ્રીક શબ્દ છે “infans', જેનો અર્થ થાય છે જે બોલવા માટે અશક્તિમાન છે તે. ધીમે ધીમે બાળક તેની જરૂરિયાતો તરફ સજાગ થાય છે અને પોતાની ઇચ્છાઓ વ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ કરતો થાય છે. વ્યક્તિના જીવનમાં ભાષા કેન્દ્ર સ્થાને છે. ઈશ્વરે મનુષ્યને આપેલી બુદ્ધિનો સર્વશ્રેષ્ઠ આવિષ્કરણ ભાષા છે.

જીવનમાં ભાષાની ભૂમિકા // Role of language in life


  • બોદ્ધિક
  • ભાવનાત્મક
  • સામાજિક 
  • સાંસ્કૃતિક વિકાસ

બૌદ્ધિક સ્તરે ભાષાની ભૂમિકા 

ભાષા વિકાસ અને બૌદ્ધિક વિકાસ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે. બાળકમાં બૌદ્ધિક વિકાસ સાથે ભાષા ક્ષમતા પણ વિકસે છે. બાળક સૌપ્રથમ સાંભળતાં શીખે છે. સાંભળીને બોલવાનો પ્રયત્ન કરે છે. શરૂઆતના તબક્કે તે માત્ર અર્થહીન બબળાટ કરે છે. પછી ક્રમશ: અક્ષરો, શબ્દો અને વાક્યો ઉચ્ચારે છે. બાળકને તેના આસપાસના પર્યાવરણમાં બોલવા માટે જેટલી તકો મળે છે તેટલો ભાષાવિકાસ ઝડપથી થાય છે. બાળક ચારેક વર્ષનું થાય ત્યારે તે વ્યાકરણના યોગ્ય ઉપયોગ સાથે ભાષાના ઉપ યોજનનું કૌશલ્ય અર્જિત કરે છે. શાળામાં પ્રવેશ મેળવતાં તે વાંચન અને લેખનના મહાવરા દ્વારા ભાષા પર પ્રભુત્વ મેળવે છે. સંશોધનોએ પુરવાર કર્યું છે કે જે બાળકોની ભાષાશક્તિ સારી તેઓની શૈક્ષણિક સિદ્ધિ વધુ સારી હોય છે. ભાષાશક્તિ અને બુદ્ધિ વચ્ચે પણ ઊંચો સહસંબંધ જોવા મળે છે. બૌદ્ધિક સ્તરે ભાષાની ભૂમિકા વિચારોની અભિવ્યક્તિ, વિચારોની આપ-લે, વ્યક્તિત્વ વિકાસ તેમજ માનસિક શક્તિઓના વિકાસ સાથે સંબંધિત છે. 

(1) વિચારોની અભિવ્યક્તિ :

ઈશ્વરે મનુષ્યને બુદ્ધિ આપી છે. આ બુદ્ધિને પ્રસ્તુત થવા માટે વિચારોની જરૂરિયાત રહે છે. આ વિચારપ્રક્રિયા ભાષાના માધ્યમથી અભિવ્યક્ત થાય છે. વ્યક્તિ પાસે જે-તે ભાષાનું જેટલું વધુ શબ્દ ભંડોળ હોય છે તેટલો તે વધારે માત્રામાં સુસ્પષ્ટ પ્રભાવી રીતે વ્યક્ત થઈ શકે છે. વિચારોની સળંગસૂત્રતા માટે પણ ભાષા અનિવાર્ય છે. ભાષા વિચારોને સ્પષ્ટ અને વિસ્તૃત બનાવવાની ક્ષમતા ધરાવે છે. 


(2) વિચારોને આપ-લે :

વિચારોને રજૂ કરવા માટે વ્યક્તિ ભાષાના મૌખિક અથવા લેખિત માધ્યમનો ઉપયોગ કરે છે. કોઈપણ વિષય સંદર્ભે જ્યારે . એક વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરે ત્યારે અન્ય વ્યક્તિઓ તેનો સ્વીકાર કે અસ્વીકાર કરીને પોતાના વિચારો રજૂ કરે છે. આમ વિચારોમાં સમૃદ્ધિ માટે તેમ જ વિચારોની આપ-લે માટે ભાષા જરૂરી છે. ભાષાના માધ્યમથી વિચારોની આપ-લે થવાથી વિચારોમાં પરિવર્તન આવતું રહે છે અને તેથી પ્રત્યેક ક્ષેત્રમાં શોધખોળો અને સંશોધનો થતાં રહે છે. દા.ત. વિજ્ઞાનની શોધો, સાહિત્યના સ્વરૂપોમાં પરિવર્તન, માહિતી સંચારના સાધનોમાં પરિવર્તન વગેરે. 

(3) વ્યક્તિત્વ વિકાસ

પરંતુ તેના દ્વારા વ્યક્તિના સમગ્ર વર્તન વ્યવહારમાં પરિવર્ત ભાષા દ્વારા માત્ર માનસિક વિકાસ થાય છે તેટલું જ નહીં, આવે છે. આપણું સમગ્ર વ્યક્તિત્વ ભાષા થકી પ્રગટ થાય છે વ્યક્તિએ કરેલ ભાષાના ઉપયોગ મારફત તેના આચાર-વિચાર અને વર્તન-વ્યવહારનો અંદાજ લગાવી શકાય છે. ભાષાવિકાસ દ્વારા વ્યક્તિની બોલવા, વાંચવા, લખવા અને વિચારવાની અભિવ્યક્તિને પ્રબળ બનાવી શકાય છે.

(4) માનસિક વિકાસ 

બાળક કે વ્યક્તિની પુણતા કે પરિપક્વતાનો ખ્યાલ ત્યારે જ આવે જ્યારે તે સમજી-વિચારીને પોતાના વિચારોને ભાષા દ્વારા અન્ય લોકો સમક્ષ રજૂ કરે છે. ભાષાના માધ્યમથી વ્યક્તિ પોતાના અમૂર્ત વિચારોને મૂર્ત સ્વરૂપ આપે છે. તે લોકો સમક્ષ કેવી રીતે પોતાના વિચારો રજૂ કરે છે તેમાં વપરાયેલા શબ્દો અને વાક્યો ઉપરથી વ્યક્તિના માનસિક વિકાસનો ખ્યાલ આવે છે. ભાષા માનસિક વિકાસ માટેનું અનિવાર્ય ઘટક છે. અર્થગ્રહણ, અનુમાન, વર્ગીકરણ, પૃથક્કરણ, સંયોગીકરણ, તારણ, સામાન્યીકરણ, નિર્ણય વગેરે જેવી માનસિક પ્રક્રિયાઓને ભાષા સરળ બનાવે છે. 

ભાવનાત્મક સ્તરે ભાષાની ભૂમિકા


ભાષાઓ થકી જ વ્યક્તિ પોતાની લાગણીઓ, સંવેદનો, ઇચ્છાઓ, રસ-રુચિ, પસંદ-નાપસંદ અને સપનાઓને વ્યક્ત કરી શકે છે. જો ભાષા ન હોત તો લાગણીઓની અભિવ્યક્તિ કરવી કેટલી અઘરી બની જાત ? મનુષ્યની અસ્મલિત લાગણીઓ અને સંવેદનોને સામેની વ્યક્તિ અર્થપૂર્ણ રીતે સમજી શકે તે માટે ભાષા ખૂબ જ અગત્યની બની રહે છે. માનવી ભાષા દ્વારા પોતાના સુખ દુઃખ, આનંદ, પ્રેમ, શોક, દ્વેષ, એકલતા, પીડા..... જેવી તમામ પ્રકારની લાગણીઓને સ્પષ્ટપણે વ્યક્ત કરી શક્યો છે. એટલું જ નહીં મનુષ્ય માન-અપમાન, વિશ્વાસ, કરુણા જેવા ભાવોને પણ ભાષા થકી પ્રગટ કરી શક્યો છે. લાગણીઓ અને ઊર્મિઓની ઉચિત અભિવ્યક્તિથી જ મનુષ્યનું મન સ્વસ્થ રહી શકે છે. ઉદાહરણ તરીકે - 

નિકટની વ્યક્તિના મૃત્યુ સમયે શબ્દો થકી હૈયાની વેદના વ્યક્ત કરી વ્યક્તિ હળવી થઈ શકે છે.
પરીક્ષામાં પ્રથમ આવેલ વિદ્યાર્થી ભાષા દ્વારા પોતાનો આનંદ 'વ્યક્ત કરી શકે છે.
કોઈ પરિસ્થિતિમાં પોતાને થયેલા અન્યાય કે માન . અપમાનને વ્યક્ત કરી શકે છે.

એવું બને કે લાગણીઓની અનુભૂતિ સમાન હોવા છતાં ભાષા પરના પ્રભુત્વને કારણે લાગણીઓ અને ભાવનાઓની અભિવ્યક્તિમાં તફાવત જોવા મળે. જે વ્યક્તિનું ભાષા પ્રભુત્વ વધારે હોય તે વ્યક્તિ અન્યની સરખામણીએ વધુ અસરકારક અને પ્રભાવક રીતે પોતાની લાગણીઓને વ્યક્ત કરી શકે છે. દા.ત. લેખકો અને કવિઓ કેટલી પ્રભાવક અને આગવી શૈલીમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે ! દા. ત.

ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. 
પથ્થર પૂજયા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મુખડું 
એ પુનિત જનના કાળજા, પથ્થર બની છંદશો નહીં. 

ઉપરની કાવ્યપંક્તિઓમાં
કવિએ મા-બાપનો આદર કરવાનો ભાવ કેટલા અસરકારક શબ્દોમાં રજૂ કર્યો છે. લાગણીઓ અને ભાવનાઓને વ્યક્ત કરવા માટે શબ્દોની યોગ્ય પસંદગી અને ગોઠવણ લાગણીઓ અને ભાવનાઓની તીવ્રતાને અન્યો સમક્ષ રજૂ કરવા માંગે જરૂરિયાત છે, તે જ માત્રામાં રજૂ કરી શકાય છે. ભાવક જે માત્રામાં ભાષાની

વ્યક્ત કરવા માટે રહે છે તેવી જ રીતે અન્ય વ્યક્તિની લાગણીઓ અને જેમ પોતાની લાગણીઓ અને ભાવનાઓ ભાવનાઓને સમજવા માટે. પણ ભાષાની જરૂરિયાત રહે છે. જે ભાષી આવડતી ન હોય તે ભાષાની લાગણીઓ સમજવામાં મુશ્કેલી પડે છે, કારણ કે માત્ર ભાવોને કે સંકેતોને આધારે કરેલ વર્તનનું અનુમાન ખોટું હોઈ શકે છે. દા. ત. બે વ્યક્તિઓ વચ્ચે કોઈ અજાણી ભાષામાં સંવાદ ચાલી રહ્યો છે અને તેમનાથી કોઈ એક રડે છે, તો તે વ્યક્તિ વ્યક્તિના રડવાનું કારણ શું હશે, તે સ્પષ્ટ રીતે નક્કી કરી શકાતું નથી. આપણે તે વ્યક્તિની મદદ કરવા માંગતા હોવા છતાં ભાષાના અભાવે સાચી પરિસ્થિતિ કળી શકાતી નથી. આમ, ભાવનાત્મક સ્તરે લાગણીઓની અભિવ્યક્તિ અને અનુભૂતિ બંને પક્ષે ભાષાની ભૂમિકા અગત્યની છે. 


સામાજિક સ્તરે ભાષાની ભૂમિકા 

સમાજ લોકોથી બને છે. સમાજમાં પરસ્પર વ્યવહાર માટે ભાષા અનિવાર્ય છે. લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે, વ્યવહાર કરવા માટે, રજૂઆત માટે ભાષાનો જ ઉપયોગ કરે છે. સમાજમાં વ્યક્તિના વિકાસ માટે અને વ્યક્તિઓના વિકાસ થકી સમાજના વિકાસ માટે ભાષા સમૃદ્ધિ મહત્ત્વની છે. જે સમાજમાં ભાષા સમૃદ્ધ નથી અથવા લોકો ભાષાકીય પ્રભુત્વ ધરાવતા નથી તેવા સમાજનો વિકાસ ઓછો અને ધીમો જોવા મળે છે. જ્યારે જે સમાજમાં ભાષા સમૃદ્ધ છે અથવા લોકો ભાષાકીય પ્રભુત્વ ધરાવે તેવા સમાજનો વિકાસ વધારે અને ઝડપી જોવા મળે છે. 

(1) રોજિંદા જીવન વ્યવહારને સરળ બનાવવા 

સમાજમાં વ્યક્તિઓ વચ્ચેનો રોજિંદો વ્યવહાર ભાષાના માધ્યમથી થતો રહે છે. ઘરના સભ્યો વચ્ચેની વાતચીત, કાર્યના સ્થળ ઉપર સહકાર્યકરો સાથેની વાતચીત કે પછી કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં ફેરિયા, દુકાનદાર, ડૉક્ટર, કંડકટર જેવી કોઈપણ ધંધાદારી કે વ્યવસાયિક વ્યક્તિઓ સાથેની વાતચીતમાં ભાષાનો. ઉપયોગ થાય છે. બે વ્યક્તિઓ સાથેનો વ્યવહાર ભાષા મારફત જ શક્ય બને છે. ઉદાહરણ તરીકે,

ઘરમાં કુટુંબના સભ્યો અને મિત્રો સાથે ઉપયોગમાં લેવાતી ભાષા
શેરીમાં ચીજવસ્તુઓના વેચાણ માટે આવતા ફેરિયાઓ સાથેની વાતચીતમાં વપરાતી ભાષા
નોકરી કે ધંધા-રોજગારના સ્થળ ઉપર ઉપયોગમાં લેવાતી ભાષા

(2) વ્યક્તિના સામાજિકીકરણ માટે :

મનુષ્ય એક સામાજીક પ્રાણી છે. ભાષાથી માનવીય વ્યવહાર સરળ અને સુગમ બને છે. વ્યક્તિ પોતાની
ભાષા દ્વારા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકે છે. ભાષાની મધુરતા અને શબ્દોના યોગ્ય પ્રયોજન દ્વારા તે સમાજમાં મિત્રો, પ્રતિષ્ઠા અને સંબંધો વિકસાવી શકે છે. આ રીતે સામાજિક સંબંધો બાંધવા, વિકસાવવા અને ટકાવી રાખવામાં ભાષા અગત્યની ભૂમિકા ભજવે છે.

ભાષા સામાજિક વ્યવહારને સરળ બનાવે છે.
સમાજમાં સ્થાન પ્રસ્થાપિત કરવા ભાષાની આગવી ભૂમિકા છે.
ભાષાથી પ્રત્યેક વ્યક્તિનું ઉત્તમ સામાજિક કરણ કરી શકાય છે.

(3) સમાજના વિકાસ માટે :

મનુષ્ય કે સમાજના વિકાસ માટે ભાષા મહત્ત્વનો ભાગ ભજવે છે. જે સમાજની ભાષા વિકસે છે તે સમાજનો વિકાસ 'નિશ્ચિત છે. ભાષાથી સમાજમાં જાગૃતિ લાવી શકાય છે. લોકોના વિચારોને યોગ્ય માર્ગે વાળી શકાય છે. અંધશ્રદ્ધાઓ તેમ જ કુરિવાજોથી લોકોને બચાવી શકાય છે. આમ, ભાષાથી સમાજ મજબૂત બને છે અને વિકસે છે. સામાજિક પરિવર્તન માટે ભાષાની ભૂમિકા અતિ મહત્ત્વની છે. શિક્ષિત સમાજમાં લોકો ભાષા પ્રભુત્વને કારણે જ ઝડપથી વિકાસ સાધી શકે છે. કોઈ ચોક્કસ સમુદાયની વાત કરીએ તો નાગરો તેમની ભાષા અને કેળવણી માટે જાણીતા છે. આમ, ભાષા સામાજિક સભ્યતાને પોષે છે.

  1.  કુરિવાજો અને અંધશ્રદ્ધાઓથી સમાજને બચાવી શકાય છે. 
  2.  સામાજિક પરિવર્તનને સરળતાથી સ્વીકારી શકાય છે. 
  3.  સામાજિક નવીનીકરણોને અવકાશ રહે છે.

સાંસ્કૃતિક વિકાસમાં ભાષાની ભૂમિકા :

ભાષા અને સંસ્કૃતિ વચ્ચેનો સંબંધ જટિલ વિષય છે. આપણા બધા પાસે સંસ્કૃતિ અને ભાષા છે. આપણી સંસ્કૃતિ અને ભાષા આપણને . આપણા લોકો તરફ નિર્દેશ કરે છે. સાંસ્કૃતિક વિકાસ એક ઐતિહાસિક પ્રક્રિયા છે. સંસ્કૃતિ પેઢી દર પેઢી હસ્તાંતરિત થઈને આગળ વધતી રહે છે. ભાષાઓ આપણને સાંસ્કૃતિક વારસાનો પરિચય કરાવી આપણને આપણી સંસ્કૃતિ સાથે જકડી રાખે છે. સંસ્કૃતિમાં રીતરિવાજો, રૂઢિઓ, માનતાઓ, કલા, તત્ત્વજ્ઞાન, શિલ્પ સ્થાપત્ય, ધર્મ, ભાષા-સાહિત્ય, જ્ઞાનવિજ્ઞાન જેવી સમગ્ર બાબતોનો સમાવેશ થાય છે. સંસ્કૃતિના હસ્તાંતરણથી માનવ સમાજની સંસ્કૃતિનો ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ભાષાના માધ્યમથી ધબકતો રહે છે. ભાષા સાંસ્કૃતિક વિકાસ માટેનું મુખ્ય પરિબળ છે.

સંસ્કૃતિ માટે અંગ્રેજીમાં કલ્ચર (culture) શબ્દ વપરાય છે, જે લેટિન ભાષાના “કલ્ટ' શબ્દમાંથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ “ખેડાણ કે શુદ્ધ કરવું’, ‘વિકસિત કરવું’ એવો થાય છે. સંસ્કૃતિ શબ્દ સંસ્કૃત ભાષાના “કુ ધાતુમાંથી ઉતરી આવ્યો છે જેનો અર્થ ‘કરવું’ એવો થાય છે. આ દૃષ્ટિએ જોઈએ તો સંસ્કૃતિનો અર્થ કોઈક વ્યક્તિગત કે સમૂહગત જીવન, વિચાર, અનુભવ કે પોતાના સંગઠન થકી જીવન ઊજવવું અથવા તેને બીજા સાથે વહેંચવું એવો અર્થ થાય છે. આ સંદર્ભમાં સંસ્કૃતિને વિકસાવવા અને વહેંચવા ભાષા એક માધ્યમ બને છે. મૌખિક અને લેખિત સાહિત્યના સંવર્ધન અને હસ્તાંતરણ માટે ભાષા અગત્યનું માધ્યમ છે. ભાષા વગર કોઈપણ સંસ્કૃતિનો વિકાસ અશક્ય છે. ભાષા એ કોઈપણ રાષ્ટ્રની સંસ્કૃતિનું પોષક, સંવર્ધક અને પ્રેરક પરિબળ છે. સંસ્કૃતિમાં સમાવિષ્ટ વિચારધારાઓ, માન્યતા, મૂલ્યો, રીત-રિવાજો, પરંપરાઓ, ધાર્મિક અને પૌરાણિક કથાઓ, યશગાથાઓ, સ્મૃતિગાથાઓ, લોકગીતો, સાહિત્યિક કૃતિઓ વગેરે ભાષા થકી જ એક પેઢીથી બીજી પેઢીને હસ્તાંતરિત થાય છે.

"Language is the Roadmap of a Culture" - Rita Mae Brown


ભાષા એ સંસ્કૃતિનો માર્ગ નકશો છે. અર્થાત્ ભાષાના માર્ગ પર સંસ્કૃતિ વહન કરે છે.

યુનાઈટેડ સ્ટેટ્સના સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રી આલેંડ એલ. ક્રોબર જણાવે છે કે, જયારે વાણી ઉપલબ્ધ હતી ત્યારે સંસ્કૃતિની શરૂઆત થઈ હતી અને તે શરૂઆતથી જ એકના સંવર્ધનથી બીજાનો વિકાસ થયો હતો. 

બ્રિટાનિકા જણાવે છે કે, “ભાષા સમાજમાં માનવ જીવનના દરેક પાસાઓ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે, અને જો તેને સમાજના સંબંધમાં ધ્યાનમાં લેવામાં આવે તો જ તે સમજી શકાય છે. તેથી, ભાષાની સાચી સમજ માટે આસપાસની સંસ્કૃતિની સમજ જરૂરી છે. વેનિંગ જિંઆંગ ભાષા અને સંસ્કૃતિ વચ્ચેના સંબંધને આઇસબર્ગ સાથે સુંદર રીતે સરખાવે છે. ભાષા, અને સંસ્કૃતિનાં કેટલાંક પાસાંઓ, આઇસબર્ગની ટોચ પર છે, ભાગ તમે પાણીની ઉપર જુઓ છો. તેમ છતાં, આઇસબર્ગ, સંસ્કૃતિ જે બનાવે છે તેમાંથી મોટા ભાગને સપાટીની નીચે છુપાવે છે. 

ભાષા અને સંસ્કૃતિ વચ્ચેના સંબંધ માટે બીજી સામ્યતા વ્યક્તિની છે. ભાષા અને સંસ્કૃતિ વિના વ્યક્તિ અધૂરો છે. જો બંનેને એકસાથે મૂકવામાં આવે તો એક સંપૂર્ણ વ્યક્તિ બને છે. ઉદાહરણ તરીકે .

  1. મહાન પુરુષોનાં જીવનચરિત્રો અને તેમના વિચારો 
  2. વિવિધ ધર્મોના ધર્મગ્રંથો અને ભજનો 
  3. લોકકથાઓ અને લોકગીતો
  4. શિલ્પ, સ્થાપત્ય,કલા અને સાહિત્યનાં વર્ણનો

ભાષા એ વ્યક્તિના વિકાસની ધરોહર છે. વ્યક્તિના સામાજિક, માનસિક, શારીરિક વિકાસની સાથે શૈક્ષણિક ધાર્મિક, આધ્યાત્મિક વિકાસ સાધવા પણ ભાષા મદદરૂપ બને છે. આ દૃષ્ટિએ જોતાં ભાષાના ઉપયોગથી વ્યક્તિનો સર્વાગી વિકાસ શક્ય બને છે. ભાષા મારફત વ્યક્તિ પોતાની આકાંક્ષાઓનું લાગણીઓ અને ઊર્મિઓને સરળ અને સહજ રીતે અભિવ્યક્ત કરી શકે છે. ભાષા સામર્થ થકી વ્યક્તિ ભૌતિક, સામાજિક અને આર્થિક વિકાસ સાધી શકે છે. આ રીતે જીવનમાં ભાષાની ભૂમિકા મહત્ત્વની છે. કોભાષા એ વ્યક્તિના વિકાસની ધરોહર છે. વ્યક્તિના સામાજિક, માનસિક, શારીરિક વિકાસની સાથે શૈક્ષણિક ધાર્મિક, આધ્યાત્મિક વિકાસ સાધવા પણ ભાષા મદદરૂપ બને છે. આ દૃષ્ટિએ જોતાં ભાષાના ઉપયોગથી વ્યક્તિનો સર્વાગી વિકાસ શક્ય બને છે. ભાષા મારફત વ્યક્તિ પોતાની આકાંક્ષાઓનું લાગણીઓ અને ઊર્મિઓને સરળ અને સહજ રીતે અભિવ્યક્ત કરી શકે છે. ભાષા સામર્થ થકી વ્યક્તિ ભૌતિક, સામાજિક અને આર્થિક વિકાસ સાધી શકે છે. આ રીતે જીવનમાં ભાષાની ભૂમિકા મહત્ત્વની છે.


Read  More ...







Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏